ઘંટાની પ્રાર્થનાઓ

વર્તમાન કલાક

મધરાત્રીની પ્રાર્થના

મધરાતે અમે પ્રભુના આગમન માટે જાગી રાખીએ છીએ અને ગેથસેમનેમાં તેમની પ્રાર્થનાને યાદ કરીએ છીએ.

અમારા પિતા

‹માટે તમે આ રીતે પ્રાર્થના કરો:› ‹“ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.›

‹તમારું રાજ્ય આવો.› ‹જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.›

‹દિવસની અમારી રોટલી આજ અમને આપો.›

‹જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.›

‹અમને પરીક્ષણમાં પડવા ન દો,› ‹પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”›

આભાર પ્રાર્થના

‹માટે તમે આ રીતે પ્રાર્થના કરો:› ‹“ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.›

‹તમારું રાજ્ય આવો.› ‹જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.›

‹દિવસની અમારી રોટલી આજ અમને આપો.›

‹જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.›

‹અમને પરીક્ષણમાં પડવા ન દો,› ‹પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”›

ભજન 50

સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.

સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.

આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.

પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.

“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”

આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.

“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.

તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.

હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.

કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.

હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.

જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.

શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?

ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.

સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?

છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.

જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.

તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.

તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.

તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.

હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.

જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”

પછી ઉપાસક કહે છે:

સામર્થ્યવાન, ઈશ્વર, યહોવાહ, બોલ્યા છે અને તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.

સિયોન, જે સૌંદર્યની સંપૂર્ણતા છે, તેમાંથી ઈશ્વર પ્રકાશે છે.

આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.

પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.

“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”

આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.

“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.

તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનીયાર્પણો નિરંતર મારી આગળ થાય છે.

હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.

કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.

હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.

જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.

શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?

ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.

સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”

પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?

છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.

જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.

તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.

તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.

તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.

હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.

જે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવે છે તે મને માન આપે છે અને જે પોતાના માર્ગો નિયમસર રાખે છે તેને હું ઈશ્વર દ્વારા મળતો ઉદ્ધાર બતાવીશ.”

ભજન 133

ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!

તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

ઉઠો હે પ્રકાશના સંતાનો

ઉઠો હે પ્રકાશના સંતાનો 1

ઉઠો, હે પ્રકાશના સંતાનો, દળોના પ્રભુની સ્તુતિ કરીએ, જેથી તેઓ અમારી ઉપર દયા કરી અમારી આત્માઓનો ઉદ્ધાર કરે. જ્યારે આપણે તારા સમક્ષ દેહથી ઊભા રહીએ છીએ, ત્યારે અમારી બુદ્ધિમાંથી નિંદ્રાનો ઝોક દૂર કર. હે પ્રભુ, અમને જાગૃતતા આપ, જેથી અમે સમજીએ કે પ્રાર્થનાના સમયે તારા સમક્ષ કેવી રીતે ઊભા રહીએ, અને અમે તને ઉપર તરફ યોગ્ય મહિમા પાઠવીએ, અને અમારા અનેક પાપોની માફી મેળવીએ. (મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર)

ઉઠો હે પ્રકાશના સંતાનો 2

«હે પ્રભુના સેવકો, પ્રભુને ધન્ય કહો, તમે જે પ્રભુના ઘરમાં, અમારા દેવના પ્રાંગણમાં ઊભા રહો છો. રાત્રી દરમ્યાન તમારી હાઁથોને પવિત્ર સ્થાન તરફ ઉઠાવો, અને પ્રભુને આશીર્વાદ આપો. પ્રભુ સિયોનમાંથી તમને આશીર્વાદ આપે, તેને જેણે સ્વર્ગ અને ધરતી બનાવી.» (મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર)

ઉઠો હે પ્રકાશના સંતાનો 3

«મારી પ્રાર્થના તારા સમક્ષ આવો, હે પ્રભુ; તારા વચન પ્રમાણે મને સમજ આપ. મારી વિનંતી તારી હાજરીમાં પ્રવેશે, હે પ્રભુ; તારા વચન પ્રમાણે મને જીવંત કર. મારા હોઠો સ્તુતિ ઊડાડશે, જ્યારે તું મને તારા નિયમો શીખવશે. મારી જીભ તારા વચનોની વાત કરશે, કેમ કે તારાં બધા આજ્ઞાપત્રો ધર્મ છે. તારું હાથ મને ઉદ્ધાર માટે હોય, કારણ કે મેં તારી આજ્ઞાઓને ઇચ્છી છે. હે પ્રભુ, હું તારાં ઉદ્ધારની રાહ જોઈ રહ્યો છું, અને તારો ધર્મશાસ્ત્ર મારું ધ્યાન છે. મારી આત્મા જીવંત રહે અને તને સ્તુતિ કરે, અને તારાં નિયમો મને સહાય કરે. હું ભટકેલા ધેડા જેવો ભૂલાઈ ગયો છું; તારો દાસ શોધ, કેમ કે હું તારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.»

પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને મહિમા હોય, હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન. પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને મહિમા હોય, અત્યારે અને સદાકાળ સુધી સર્વયુગો સુધી આમેન. તને મહિમા, હે સારા માનવીઓને પ્રેમ કરનાર. તારી માતા કુમારીને અને તારા સર્વ સંતોને શાંતિ. હે પવિત્ર ત્રિએકતા, તને મહિમા, અમ પર દયા કર.

«દેવ ઊઠે, અને તેના બધા શત્રુઓ છૂટી જાય; અને તેના પવિત્ર નામને દ્વેષ કરનાર સૌ તેના મુખથી દૂર ભાગે.» અને તારો પ્રજા આશીર્વાદથી બને—હજારો હજારો અને લાખો લાખો—તારી ઇચ્છા કરે. હે પ્રભુ, મારા હોઠ ખોલ અને મારું મુખ તારી સ્તુતિ બોલે. આમેન. હલ્લેલૂયા.

પ્રાર્થનાનો પ્રારંભ

ભજન 3

હે યહોવાહ, મારા વેરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે હુમલો કરનારા ઘણા છે.

ઘણા મારા વિષે કહે છે, “ઈશ્વર તરફથી તેને કોઈ મદદ મળશે નહિ.” સેલાહ

પણ હે યહોવાહ તમે મારી આસપાસ ઢાલરૂપ છો, તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.

હું મારી વાણીથી યહોવાહને વિનંતી કરું છું અને તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. સેલાહ

હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો, કેમ કે યહોવાહ મારું રક્ષણ કરે છે.

જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ.

હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.

વિજય યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ.

ભજન 6

હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.

હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?

હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!

કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?

હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.

ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.

યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.

મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

ભજન 12

હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.

દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.

યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.

તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”

યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”

યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.

હે યહોવાહ, તમે અમને સંભાળજો. આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.

જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.

ભજન 69

હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.

હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.

હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.

હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.

હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.

કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.

હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.

કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.

જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.

જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.

જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.

પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.

મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.

પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.

હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.

તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.

મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.

તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.

નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.

તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.

તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.

તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.

તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.

તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.

કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.

તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.

જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.

પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.

હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.

તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.

નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.

કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.

આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.

કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.

તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.

ભજન 85

હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.

તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.

તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.

હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.

શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?

શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.

તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.

યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.

જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.

કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.

પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.

હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.

તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.

ભજન 90

હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.

પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.

તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”

કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.

તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.

તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.

ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.

તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.

તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.

અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ:ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.

તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?

તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.

હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.

સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.

જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.

તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.

અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.

ભજન 116

હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.

તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.

મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.

ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”

યહોવાહ ન્યાયી તથા કૃપાળુ છે; આપણા ઈશ્વર ખરેખરા માયાળુ છે.

યહોવાહ ભોળા માણસોનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો અને તેમણે મને બચાવ્યો.

હે મારા આત્મા, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ કે યહોવાહ તારી સાથે ઉદારતાથી વર્ત્યા છે.

કેમ કે તમે મારા પ્રાણને મૃત્યુથી, મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે.

હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ.

મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”

મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”

હું યહોવાહના મારા પર થયેલા સર્વ ઉપકારોનો તેમને શો બદલો આપું?

હું ઉદ્ધારનો પ્યાલો લઈને, યહોવાહના નામને વિનંતિ કરીશ.

યહોવાહની આગળ મેં જે સંકલ્પો કર્યા છે, તે હું તેમના સર્વ લોકોની સમક્ષ પૂર્ણ કરીશ.

યહોવાહની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.

હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.

હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.

યહોવાહની સમક્ષ લીધેલા સંકલ્પો જે મેં તેમના સર્વ લોકોની સમક્ષ લીધા છે, તે પાળીશ.

હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ.

ભજન 117

પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો.

કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.

ભજન 118 (I)

યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.

ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.

યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?

મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.

માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.

રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.

સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.

નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.

યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.

ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.

હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.

યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.

મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.

યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.

હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.

જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.

આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.

આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.

હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.

યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.

યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.

તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.

યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.

(ભજન ૧૧૯)

(1) ધન્ય છે તેઓ, જેઓ માર્ગમાં નિર્દોષ છે, જે પ્રભુના ધર્મશાસ્ત્રમાં ચાલે છે. ધન્ય છે તેઓ, જે તેની સાક્ષીઓનું શોધ કરે છે, અને હૃદયપૂર્વક તેને શોધે છે; કારણ કે અનીતિ કરનારોએ તેની પથ પર ચાલવા ઇચ્છી નથી. તું આજ્ઞા આપી છે કે તારી આજ્ઞાઓને અત્યંત જાળવવામાં આવે; હે, મારી માર્ગો તારા નિયમોને જાળવવા માટે સ્થિર થાય! પછી હું શરમાવશી નહિ, જ્યારે હું તારાં સર્વ આજ્ઞાપત્રો પર નજર કરું. હે પ્રભુ, હું સીધા હૃદયથી તારી સ્તુતિ કરીશ, કારણ કે મેં તારા ન્યાયને જાણી લીધા છે. હું તારાં નિયમો જાળવીશ; મને સંપૂર્ણપણે ન ત્યજ. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe)

(2) યુવાન પોતાનો માર્ગ કેવી રીતે શુદ્ધ રાખી શકે? તેમનાં વચનોને રાખવાથી. મેં સમગ્ર હૃદયથી તને શોધ્યું; મને તારી આજ્ઞાઓમાંથી દૂર ન કર. મેં તારા વચનોને મારા હૃદયમાં રાખ્યાં છે, જેથી હું તારા વિરુદ્ધ પાપ ન કરું. તું ધન્ય છે, હે પ્રભુ; મને તારાં નિયમો શીખવ. હું મારા હોઠોથી તારા મુખના તમામ ન્યાયો જણાવીશ. હું તારી સાક્ષીઓના માર્ગમાં આનંદ કરું છું, જેમ કે બધા ધનમાં. હું તારી આજ્ઞાઓ પર વિચાર કરું છું, અને તારા માર્ગોમાં ધ્યાન કરું છું. હું તારા અધિનિયમોમાં ધ્યાન કરું છું, અને તારાં વચનો ભૂલતો નથી. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe)

(3) તારાં દાસને પુરસ્કાર આપ જેથી હું જીવી શકું અને તારાં વચનો જાળવી શકું. મારી આંખો ખોલ કે હું તારા ધર્મશાસ્ત્રમાંથી અદભૂત વસ્તુઓ જોઈ શકું. હું ધરતી પર પરદેશી છું; મારી પાસેથી તારી આજ્ઞાઓ છુપાવશો નહિ. મારી આત્મા હંમેશા તારાં ન્યાયોને ઇચ્છવામાં ઓગળી ગઈ છે. તું ગર્વીઓને, શાપિતોને ઠપકો આપતો છે, જેમણે તારી આજ્ઞાઓમાંથી ગમી ગયા છે. મને અપમાન અને નંદા દૂર કર, કેમ કે મેં તારી સાક્ષીઓને શોધી છે. સરદારોએ બેઠા અને મારી સામે વાત કરી; પણ તારો દાસ તારાં નિયમોમાં ધ્યાન કરતો હતો. કેમ કે તારી સાક્ષીઓ મારા પ્રસન્નતા છે, અને તારાં નિયમો મારી સલાહ છે. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(4) મારી આત્મા ધૂળને ચોટી ગઈ છે; મને તારાં વચન મુજબ જીવંત કર. મેં મારા રસ્તાઓ જણાવી દીધાં છે, અને તું મને જવાબ આપ્યો છે; મને તારાં નિયમો શીખવ. મને તારા ન્યાયનો માર્ગ સમજાવ, જેથી હું તારા અદભુતોમાં ધ્યાન કરું. દુઃખથી મારી આત્મા ઓગળી ગઈ છે; તારા વચન અનુસાર મને સ્થિર કર. ખોટનો માર્ગ મારી પાસેથી દૂર કર, અને તારા ધર્મશાસ્ત્રમાં મને કૃપા કર. મેં સત્યનો માર્ગ પસંદ કર્યો; હું તારાં ન્યાયોને ભૂલતો નથી. હે પ્રભુ, મેં તારી સાક્ષીઓમાં ચોટી લીધી છે; મને શરમાવશો નહીં. જ્યારે તું મારા હૃદયને વિસ્તૃત કર, ત્યારે હું તારાં આજ્ઞાઓના માર્ગમાં દોડું છું. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(5) હે પ્રભુ, મારા માટે તારાં નિયમોના માર્ગમાં ધર્મશાસ્ત્ર મૂકી દે, જેથી હું તેને હંમેશા અનુસરું. મને સમજ આપ, જેથી હું તારાં ધર્મશાસ્ત્રને શોધું, અને તેને આખા હૃદયથી જાળવી રાખું. મને તારાં આજ્ઞાઓના માર્ગમાં દોરી જા, કેમ કે મેં એને ઇચ્છ્યા છે. મારું હૃદય તારાં સાક્ષીઓ તરફ ઝુકાવ, અન્યાય તરફ નહિ. મારી આંખો ફેરવી દે, જેથી તે વ્યર્થ વસ્તુઓને ના જુએ; અને તારા માર્ગોમાં મને જીવંત કર. તારા વચનને તારા દાસ માટે સ્થિર કર, તારા ભયમાં. જે અપમાનનો હું ભય રાખું છું, તે મારી પાસેથી દૂર કર; કેમ કે તારાં ન્યાયો મધુર છે. જો, મેં તારી આજ્ઞાઓને ઇચ્છી છે; તારી ધર્મમાં મને જીવંત કર. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(6) તારી કૃપા અને તારું ઉદ્ધાર મારી ઉપર આવે, હે પ્રભુ, તારાં વચન પ્રમાણે; જેથી હું મારા નિંદાકરને જવાબ આપી શકું; કેમ કે હું તારા વચનો પર વિશ્વાસ કરું છું. સત્યનું વચન મારા મુખમાંથી દૂર ન કર; કેમ કે હું તારાં ન્યાયોમાં આશા રાખું છું. અને હું તારી વ્યવસ્થાને હંમેશા, સદાકાળ સુધી જાળવી રાખીશ. અને હું વિશાળતા માં ચાલતો રહીશ; કેમ કે મેં તારી આજ્ઞાઓને શોધી છે. હું રાજાઓની સામે તારી સાક્ષીઓની વાત કરીશ, અને શરમાવું નહિ. અને મેં તારી આજ્ઞાઓમાં આનંદ કર્યો છે, જેને મેં ખૂબ પ્રેમ કર્યું છે. મેં તારી આજ્ઞાઓ તરફ મારાં હાથ ઉઠાવ્યાં છે, જેને મેં ખૂબ ઇચ્છ્યાં છે; અને હું તારાં અધિનિયમોમાં ધ્યાન કરું છું. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(7) તે વચન યાદ કર જે તારા દાસને કહ્યું, જેના પર તું મને આશ્રય આપ્યો. આ જ મારી દશામાં મને સાંત્વના છે, કેમ કે તારાં વચન મને જીવંત કરે છે. ગર્વીઓએ કાનૂનને અતિ સુધી તોડ્યો છે; પરંતુ હું તારાં ધર્મશાસ્ત્રમાંથી વળી ગયો નથી. હું તારા જૂના ન્યાયોને, હે પ્રભુ, યાદ કરું છું, અને હું સાંત્વના પામ્યો છું. પાપીઓએ તારાં ધર્મશાસ્ત્રને છોડ્યું છે એટલે હું દુઃખથી ભરાયો છું. તારાં નિયમો મારાં માટે પરદેશમાં ભજનો બની ગયા છે. હું રાતે તારા નામને યાદ કરું છું, હે પ્રભુ, અને તારી વ્યવસ્થાને રાખી છે. આ મારું થયું છે, કારણ કે મેં તારાં નિયમોને શોધ્યાં છે. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(8) તું જ મારો ભાગ છે, હે પ્રભુ; મેં કહ્યું કે હું તારી આજ્ઞાઓને રાખીશ. મેં સર્વ હૃદયથી તારું મુખ મનાવ્યું; મને તારા વચન પ્રમાણે દયા કર. મેં મારા માર્ગો પર વિચાર કર્યો, અને મેં મારી પગને તારી સાક્ષીઓ તરફ ફેરવ્યા. હું તૈયાર થયો અને વિલંબ કર્યો નહિ કે હું તારી આજ્ઞાઓને રાખું. પાપીઓનાં બંધનો મારા ચારે બાજુ ફર્યાં; પરંતુ મેં તારાં ધર્મશાસ્ત્રને ભૂલ્યું નહિ. મધ્યરાત્રિએ હું ઊઠ્યો, તારા ધર્મના ન્યાયોને લીધે તને આભાર માનવા. જે તું ભય કરે છે અને તારી આજ્ઞાઓને રાખે છે, તેમના સર્વનો હું સાથી છું. હે પ્રભુ, તારી કરુણાથી ધરતી ભરાઈ ગઈ છે; મને તારો ન્યાય શીખવ. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(9) તું તારા દાસ સાથે સારું કર્યું છે, હે પ્રભુ, તારાં વચન મુજબ; સદ્ગુણ અને શિસ્ત અને જ્ઞાન—મને શીખવ, કેમ કે મેં તારી આજ્ઞાઓ પર વિશ્વાસ કર્યો છે. હું નમ્ર થવા પહેલાં હું આળસ કરતો હતો; આ માટે મેં તારાં વચનો રાખ્યા છે. તું સારો છે, હે પ્રભુ; તારાં સારા પ્રમાણે મને તારાં નિયમો શીખવ. ગર્વીઓએ મારાં ઉપર ઘણો અન્યાય કર્યો; પરંતુ હું સર્વ હૃદયથી તારી આજ્ઞાઓને શોધ્યો. તેમની હૃદય દૂધ જેવી ગાંઠવાળી છે; પણ હું તારાં ધર્મશાસ્ત્રમાં ધ્યાન કરું છું. મને સારો છે કે તું મને દાંતો સુધી નબળો કર્યો, જેથી હું તારાં નિયમોને શીખી શકું. તારાં મુખનો ધર્મશાસ્ત્ર હજારો સોનાં અને ચાંદી કરતાં સારો છે. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(10) તારા હાથોએ મને બનાવ્યો અને ઘડ્યો; મને સમજ આપ, જેથી હું તારાં આજ્ઞાઓ શીખું. જે તને ભય કરે છે તેઓ મને જોશે અને આનંદિત થશે, કારણ કે મેં તારાં વચનમાં આશા રાખી છે. મેં જાણ્યું છે, હે પ્રભુ, કે તારાં ન્યાયો ધાર્મિક છે, અને તું મને સત્યમાં નમ્ર કરેલો છે. તારી કરુણા મારી ઉપર આવે, જેથી મને સાંત્વના મળે, જેમ તું તારાં દાસને કહ્યું હતું. તારી દયાઓ મને આવે, જેથી હું જીવું; કેમ કે ધાર્મશાસ્ત્ર મારું ધ્યાન છે. ગર્વીઓ શરમાઈ જાય, કેમ કે તેઓએ મને ઝૂઠ્ઠા થતા દોષારોપણ કર્યું છે; પણ હું તારી આજ્ઞાઓ ઉપર ધ્યાન કરતો રહીશ. તેઓ મારી પાસે ફરી આવે, જે તારાં ભય રાખે છે અને તારાં અદભુતોને જાણે છે. મારું હૃદય તારાં ધર્મશાસ્ત્રમાં નિર્દોષ થાય, જેથી હું શરમાઈ નહિ. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(11) મારી આત્મા તારાં ઉદ્ધાર માટે તરસે છે; અને મેં તારાં વચન પર આશા રાખી છે. મારી આંખો તારાં વચનોની રાહ જોઇને થાકી ગઈ છે, કહેતી: તું મને ક્યારે સાંત્વના આપશે? હું ધુમાડામાં રહેલા પાત્ર જેવો થયો છું; તો પણ મેં તારાં નિયમોને ભૂલ્યા નથી. તારાં દાસના દિવસ કેટલા? જે મને પીડા કરે છે, તેમના ઉપર તું ક્યારે ન્યાય કરશે? કાનૂન તોડનારાઓએ મારી સાથે મૂર્ખાઈપૂર્વક વાત કરી; પણ તે તારાં ધર્મશાસ્ત્ર જેવું નહોતું, હે પ્રભુ; કેમ કે તારાં બધા આજ્ઞાપત્રો સત્ય છે. તેમણે મને અયોગ્ય રીતે પીછો કર્યો છે; મને સહાય કર? તેઓ મને ધરતી ઉપરથી નષ્ટ કરવાનો હદ સુધી લઈ ગયા; પરંતુ મેં તારાં આજ્ઞાઓને છોડ્યા નથી. તારી કરુણા મુજબ મને જીવંત કર, જેથી હું તારા મુખની સાક્ષીઓને રાખું. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(12) હે પ્રભુ, તારું વચન સદાકાળ માટે સ્વર્ગમાં સ્થિર છે; અને પેઢીથી પેઢી સુધી તારી સત્યતા છે. તું ધરતીને સ્થાપિત કરી છે, અને તે સ્થિર છે. તારી આજ્ઞા મુજબ તેઓ આજ સુધી સ્થિર છે; કેમ કે બધું તારા સેવક છે. જો તારો ધર્મશાસ્ત્ર મારું ધ્યાન ન હોત, તો હું મારા દુઃખમાં નાશ થયો હોત. હું કદી તારાં આજ્ઞાઓને ભૂલતો નથી; કેમ કે તું તેમણે મારફતે મને જીવંત કર્યો છે. હું તારો છું—મને ઉદ્ધાર કર; કેમ કે મેં તારી આજ્ઞાઓને શોધ્યાં છે. પાપીઓ મને નષ્ટ કરવા માટે મારી રાહ જોઇ રહ્યા છે; પણ મેં તારાં સાક્ષીઓ સમજ્યા છે. મેં સર્વ પૂર્ણતાનો અંત જોયો; પરંતુ તારી આજ્ઞાઓ અતિ વિશાળ છે. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(13) હે પ્રભુ, તારો નામ સારલો છે; તે આખો દિવસ મારું ધ્યાન છે. તારી આજ્ઞાઓએ મને મારા શત્રુઓ કરતાં વધુ સમજદાર બનાવ્યો છે; કેમ કે તે સદાકાળ સુધી મારા માટે છે. મારી બધી શિક્ષકો કરતાં વધુ મેં સમજ્યું છે; કેમ કે તારાં સાક્ષીઓ મારું ધ્યાન છે. હું જૂના લોકો કરતાં વધુ સમજું છું; કેમ કે મેં તારી આજ્ઞાઓને શોધ્યાં છે. મેં દરેક દુષ્ટ માર્ગમાંથી મારા પગને રોક્યા છે, જેથી હું તારાં વચનોને રાખું. હું તારાં વચનોમાંથી ન હટ્યો; કેમ કે તુંએ જ મને ધર્મશાસ્ત્ર આપ્યો છે. તારાં વચનો મારા મોંમાં કેવી મધુર છે—મધ અને મધમાખીના નિષ્ઠાને કરતાં વધુ! તારાં આજ્ઞાઓમાંથી મને સમજ મળી; આ માટે મેં દરેક અનીતિના માર્ગને દ્વેષ કર્યો. (કારણ કે તુંએ મને ધર્મશાસ્ત્ર આપ્યો છે) (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(14) તારું વચન મારા પગ માટે દીવો છે, અને મારા માર્ગ માટે પ્રકાશ. મેં શપથ કર્યો છે અને સ્થિર રહ્યો છું કે હું તારા ધર્મના ન્યાયોને રાખીશ. હું અત્યંત ભાંગી ગયો છું; હે પ્રભુ, તારાં વચન પ્રમાણે મને જીવંત કર. મારા મુખના સમર્પણોને, હે પ્રભુ, સ્વીકાર; અને મને તારાં ન્યાયોને શીખવ. મારી આત્મા હંમેશા મારી હાથે છે; પણ મેં તારાં ધર્મશાસ્ત્રને ભૂલ્યો નથી. પાપીઓએ મારા માટે ફંદો રાખ્યો છે; પરંતુ હું તારાં આજ્ઞાઓમાંથી ભટક્યો નથી. મેં તારી સાક્ષીઓને સદાકાળ માટે વારસામાં મેળવી છે; કેમ કે તે મારા હૃદયનો આનંદ છે. મેં મારું હૃદય તારાં ધર્મને કરવા માટે ઝુકાવ્યું છે સદાકાળ માટે (ફળ માટે). (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(15) કાનૂન તોડનારાઓને મેં દ્વેષ કર્યો; અને તારાં ધર્મશાસ્ત્રને મેં પ્રેમ કર્યો છે. કેમ કે તું જ મારી સહાય અને મારા રક્ષક છે; અને મેં તારાં વચન પર આશા રાખી છે. દૂર થાઓ, હે દુષ્ટો, કે હું મારા દેવની આજ્ઞાઓનું શોધ કરું. તારા વચન મુજબ મને આધાર આપ, જેથી હું જીવી શકું; અને મારી આશા નિષ્ફળ ન થજે. મને સહાય કર, જેથી હું ઉદ્ધાર પામું; અને હંમેશા તારાં આજ્ઞાઓમાં ધ્યાન કરું. તમામ તેમને, જેમણે તારી આજ્ઞાઓમાંથી વળ્યાં છે, તું નામંજૂર ગણાવું છે; કેમ કે તેમનું વિચાર અનીતિ છે. તું ધરતીના બધા પાપીઓને કાળીડી જેવી ગણી કાઢ્યા છે; આ માટે મેં હંમેશા તારી સાક્ષીઓને પ્રેમ કર્યો છે. તારાં ભયને મારી માંસમાં ઘુંસી નાખ, કેમ કે હું તારાં ન્યાયોથી ડરી ગયો છું. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(16) મેં ન્યાય અને ધર્મ કર્યો છે; મને મારા પીડકોથી સોંપી દેજે નહિ. કિંમતી બનીને તારાં દાસ માટે સારો કર; જેથી ગર્વીઓ મારી ઉપર ન ગમે. મારાં આંખો તારાં ઉદ્ધાર અને તારાં ધર્મના વચનની રાહ જોતા ઓગળી ગઈ છે. તારાં દાસ સાથે તારાં દયા મુજબ વર્ત, અને મને તારાં નિયમો શીખવ. હું તારો દાસ છું; મને સમજ આપ, જેથી હું તારાં સાક્ષીઓને જાણું. હવે સમય છે કે પ્રભુ કાર્ય કરે; કેમ કે તેમણે તારાં ધર્મશાસ્ત્રને તોડી નાખ્યું છે. આ માટે મેં તારાં આજ્ઞાઓને સોનાં અને કિંમતી પથ્થરો કરતાં વધુ પ્રેમ કર્યો છે. કારણ કે હું તારી સર્વ આજ્ઞાઓને સમાન રાખું છું; અને દરેક અનીતિના માર્ગને દ્વેષ કરું છું. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(17) તારાં સાક્ષીઓ અદ્ભુત છે; માટે મારી આત્માએ તેમને રાખ્યાં છે. તારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે; અને નાનાં બાળકોને સમજાવે છે. મેં મારું મુખ ખોલ્યું અને શ્વાસ લીધો; કેમ કે મેં તારાં આજ્ઞાઓને ઇચ્છ્યાં છે. મારી ઉપર નજર કર અને મને દયા કર, જેમ તું તેમના ઉપર કરે છે જે તારાં નામને પ્રેમ કરે છે. મારાં પગલાં તારાં વચન પ્રમાણે સ્થિર કર, જેથી કોઈ અનીતિ મારાં ઉપર હાકુંબેરી ન કરે. મને મનુષ્યોના અત્યાચારથી છોડાવી દેજે, જેથી હું તારાં આજ્ઞાઓને રાખું. તારાં દાસ ઉપર તારું મુખ ચમકાવ, અને મને તારાં નિયમો શીખવ. મારા આંખો પાણીની ધારા વહાવે છે, કેમ કે તેમણે તારાં ધર્મશાસ્ત્રને રાખ્યું નથી. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(18) તું ધર્મ છે, હે પ્રભુ, અને તારાં ન્યાયો યોગ્ય છે. તું બહોળા પ્રમાણમાં ધર્મ અને સત્ય માટે આજ્ઞા આપ્યો છે—આ છે તારાં સાક્ષીઓ. તારા ઘરના ઈર્ષ્યાએ મને ભસ્મ કર્યો છે; કેમ કે મારાં શત્રુઓે તારાં આજ્ઞાઓને ભૂલ્યાં છે. તારું વચન બહુ જ શુદ્ધ છે; અને તારાં દાસે તેને પ્રેમ કર્યો છે. હું નાનો અને નિકૃષ્ટ છું; તો પણ હું તારાં નિયમોને ભૂલ્યો નથી. તારું ધર્મ સદાકાળ સુધી ધર્મ છે; અને તારું વચન સત્ય છે. તણાવ અને કષ્ટ મને પકડી ચુક્યાં છે; પરંતુ તારાં આજ્ઞાઓ મારું ધ્યાન છે. તારાં સાક્ષીઓ સદાકાળ સુધી ધર્મ છે; મને સમજ આપ, જેથી હું જીવું. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(19) મેં સર્વ હૃદયથી પોકાર્યો છે; હે પ્રભુ, મને જવાબ આપ; હું તારાં નિયમોને શોધું છું. મેં તને પોકાર્યો—મને ઉદ્ધાર કર—તેથી હું તારાં સાક્ષીઓને રાખું. ભોર પહેલાં હું ઊઠી અને પોકાર્યો; અને મેં તારાં વચન પર આશા રાખી. મારી આંખો રાત્રિ-પ્રભાત પહેલાં રહી, જેથી હું તારાં વચનોમાં ધ્યાન કરું. મારી વાણી સાંભળ, હે પ્રભુ, તારી દયા મુજબ; અને તારાં ન્યાય પ્રમાણે મને જીવંત કર. જે અમલા કરે છે તેઓ નજીક આવ્યા છે; પરંતુ તેમણે તારાં ધર્મશાસ્ત્રથી દૂર થયા છે. તું નજીક છે, હે પ્રભુ; અને તારાં સર્વ આજ્ઞાપત્રો સત્ય છે. મેં શરૂઆતથી તારાં સાક્ષીઓ પરથી જાણ્યું છે કે તું તેમને સદાકાળ માટે સ્થાપિત કર્યાં છે. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(20) મારી દશા પર નજર કર અને મને છોડાવી દેજે; કેમ કે મેં તારાં ધર્મશાસ્ત્રને ભૂલ્યો નથી. મારી હિદ્દતનો ન્યાય કર અને મને છોડાવી દેજે; તારાં વચન અનુસાર મને જીવંત કર. ઉદ્ધાર પાપીઓથી દૂર છે; કેમ કે તેમણે તારાં નિયમોને શોધ્યાં નથી. તારી દયાઓ બહુ મોટી છે, હે પ્રભુ; તારા ન્યાય પ્રમાણે મને જીવંત કર. મારાં પીછો કરનારાં અને દુઃખ આપનારાં બહુ છે; તો પણ મેં તારાં સાક્ષીઓમાંથી વળ્યો નથી. મેં અસમજદાર લોકોને જોયાં અને દુઃખિત થયો, કેમ કે તેમણે તારાં વચનોને રાખ્યાં નથી. હે પ્રભુ, જોયા કર, કેમ કે મેં તારી આજ્ઞાઓને પ્રેમ કર્યો છે; તારી કરુણાથી, હે પ્રભુ, મને જીવંત કર. તારાં વચનનો આરંભ સત્ય છે; અને તારા ધર્મના દરેક ન્યાય સદાકાળ સુધી રહે છે. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(21) સરદારોએ મને આપત્તિ કર્યા વગર પીડ્યા; અને તારાં વચનો ઉપર મારું હૃદય કંપી ગયેલું. હું તારાં વચનોમાં આનંદ કરું છું, જેમ કોઈ અનેક લૂંટો શોધે. મેં અનીતિને દ્વેષ કર્યો છે અને તેનું તિરસ્કાર કર્યો છે; પરંતુ તારાં ધર્મશાસ્ત્રને પ્રેમ કર્યો છે. દિવસે સાત વખત મેં તારાં ધર્મના ન્યાયો માટે તને સ્તુતિ કરી છે. જેમણે તારાં નામને પ્રેમ કર્યો છે તેમના માટે મહાન શાંતિ છે; અને તેમને કોઈ અડચણ નથી. હે પ્રભુ, મેં તારાં ઉદ્ધારની આશા રાખી; અને તારાં આજ્ઞાઓને પ્રેમ કર્યો છે. મારી આત્માએ તારાં સાક્ષીઓને રાખ્યાં છે; અને એને બહુ પ્રેમ કર્યું છે. મેં તારાં આજ્ઞાઓ અને તારાં સાક્ષીઓને રાખ્યાં છે; અને મારા સર્વ માર્ગો તારા સમક્ષ છે, હે પ્રભુ. (ذكصاسي فيلا نيثروبي: મહિમા તને, હે માનવીઓને પ્રેમ કરનાર Doxa ci Vilan`;rwpe).

(22) મારી વિનંતી તારા સમક્ષ આવે, હે પ્રભુ; તારાં વચન પ્રમાણે મને સમજ આપ. મારી પ્રાર્થના તારી હાજરીમાં પ્રવેશે, હે પ્રભુ; તારાં વચન પ્રમાણે મને જીવંત કર. મારા હોઠો સ્તુતિ ઊડાડશે, જ્યારે તું મને તારા નિયમો શીખવશે. મારું જીભ તારાં વચનોની વાત કરશે; કેમ કે તારાં સર્વ આજ્ઞાપત્રો ધર્મ છે. તારું હાથ મને ઉદ્ધાર માટે હોય; કેમ કે મેં તારાં આજ્ઞાઓને ઇચ્છી છે. હે પ્રભુ, હું તારા ઉદ્ધારને ઇચ્છું છું; અને તારો ધર્મશાસ્ત્ર મારું ધ્યાન છે. મારી આત્મા જીવે અને તને સ્તુતિ કરે; અને તારાં ન્યાય મને મદદ કરે. હું ખોવાયેલું ધેડું જેવો ભટક્યો છું; તારો દાસ શોધ, કેમ કે મેં તારાં આજ્ઞાઓને ભૂલ્યો નથી. હલ્લેલૂયા.

(માથ્યુ 25:1-13) તે સમયે, «સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીનાં સમાન હશે, જેમણે પોતાનાં દીવાનાં લીધાં અને દુલ્હાનને મળવા નીકળી. એમમાંથી પાંચ મૂર્ખ અને પાંચ સમજદાર હતી. મૂર્ખોએ દીવાનો લીધાં, પરંતુ સાથે તેલ લઈ ન ગયાં; પરંતુ સમજદારોએ પોતાના દીવાનાં સાથે કુંડાઓમાં તેલ લીધું. દુલ્હા મોડો પડતાં બધાએ ઉંઘી ગઈ અને સૂઈ ગઈ. મધરાતે હાકલ થયો: ‘જોતાં રહો, દુલ્હા આવે છે; તેની મુલાકાત કરવા બહાર નીકળો.’ ત્યારે એ બધી કુંવારીઓ ઊઠી અને તેમના દીવાનાં તૈયાર કર્યા. મૂર્ખોએ સમજદારીઓને કહ્યું, ‘અમને તમારા તેલમાંથી આપો, કારણ કે અમારા દીવાનાં બુઝાઈ રહ્યાં છે.’ જવાબમાં સમજદારોએ કહ્યું, ‘કદાચ અમને અને તમને પૂરતું ન થાય; વધારે સારું કે તમે વેંચનારાઓ પાસે જાઓ અને તમારે માટે ખરીદો.’ તેઓ ખરીદી કરવા ગયા ત્યાં જ દુલ્હા આવ્યો, અને તૈયાર થયેલ તેઓ તેની સાથે લગ્નમાં પ્રવેશી ગયા, અને બારણું બંધ થઈ ગયું. બાદમાં બીજી કુંવારીઓ પણ આવી અને કહ્યું, ‘હે સ્વામી, હે સ્વામી, અમારે માટે બારણું ખોલો.’ પરંતુ તેણે જવાબ આપ્યો, ‘ખરેખર, હું તમને ઓળખતો નથી.’ તેથી જાગતા રહો, કારણ કે તમે نہ તો દિવસ જાણો છો અને ન તો ઘડી, જેમાં મનુષ્યપુત્ર આવશે.» (અને મહિમા સદાકાળ દેવને હોય).

વિભાગ

જોતાં રહો, દુલ્હા મધરાતે આવે છે; ધન્ય છે તે દાસ જે તેને જાગ્રત પામે છે; પણ જે તે કોઈકને ઉદાસીનેમાં પામે, તે તેના સાથે ચાલવા અયોગ્ય ગણાશે. હે મારા આત્મા, કાળજી રાખ, નથી તો નિંદ્રાથી ભારેલી થઈ જશી, અને રાજ્ય બહાર ફેંકાઈશી; પરંતુ જાગ અને પોકાર: પવિત્ર, પવિત્ર, પવિત્ર, તું છે, હે દેવ; દેવમાતાના કારણે અમ પર દયા કર. (ذوكصابتري كيه إيو كي آجيو ابنيفماتي Δόξα Πατρί καὶ Υἱῷ καὶ Ἁγίῳ Πνεύματι - પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને મહિમા હોય).

હે મારા આત્મા, તે ભયંકર દિવસને સમજ અને જાગ, અને તારા દીવાને આનંદના તેલથી પ્રગટાવ; કારણ કે તને ખબર નથી કે ક્યારે તે અવાજ તારી તરફ આવશે: ‘જોતાં રહો, દુલ્હા આવી ચુક્યા છે.’ હે મારા આત્મા, કાળજી રાખ—નિંદ્રામા ન રહી જજે—નહીંતર તું પાંચ મૂર્ખ કુંવારીઓ જેવી બહાર ઊભી રહી બારણાં ખખડાવતી રહીશ; પરંતુ જાગ, વિનંતી કરતી, જેથી તું સાચા દૈવી મહિમાના અર્થે સમૃદ્ધ તેલ સાથે ખ્રિસ્ત પ્રભુને મળી શકે. (كي نين، كي آ إي، كي ايستوس إي أوناس تون إي أونون آمين Καὶ νῦν καὶ ἀεὶ καὶ εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων. Ἀμήν - હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન).

તું અમારી ઉદ્ધારની દીવાલ છે, હે દેવમાતા કુંવારી, અવિભેદ્ય દુરગ; વિરોધીઓની સલાહોને નાશ કર; તારા દાસોનાં શોકને આનંદમાં ફેરવી દે; અમારી નગરી (અમારા આશ્રમ) ને ઘેરથી મજબૂત કર; અને અમારા રાજાઓ (અમારા નેતાઓ) માટે યુદ્ધ કર; અને જગતના શાંતિ માટે મધ્યસ્થતા કર; કેમ કે તું જ અમારા આશા છે, હે દેવમાતા. (كي نين، كي آ إي، كي ايستوس إي أوناس تون إي أونون آمين Καὶ νῦν καὶ ἀεὶ καὶ εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων. Ἀμήν - હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન).

હે સ્વર્ગીય રાજા સાંત્વનકર્તા, સત્યનો આત્મા, જે દરેક સ્થાને હાજર છે અને બધું ભર્યા છે, ભલાઈઓનો ખજાનો અને જીવનદાતા, આવો અને અમમાં નિવાસ કરો, અને હે સારા, અમને દરેક અશુદ્ધિથી શુદ્ધ કરો, અને અમારી આત્માઓનો ઉદ્ધાર કર. (ذوكصابتري كيه إيو كي آجيو ابنيفماتي Δόξα Πατρί καὶ Υἱῷ καὶ Ἁγίῳ Πνεύματι - પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને મહિમા હોય).

હે ઉદ્ધારક, જેમ તું તારા શિષ્યો સાથે હતો અને તેમને શાંતિ આપી હતી, તેમ હવે પણ અમારો સાથ દે, અને અમને તારી શાંતિ બક્ષ, અને અમારો ઉદ્ધાર કર, અને અમારી આત્માઓને બચાવ. (كي نين، كي آ إي، كي ايستوس إي أوناس تون إي أونون آمين Καὶ νῦν καὶ ἀεὶ καὶ εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων. Ἀμήν - હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન).

જ્યારે અમે તારા પવિત્ર મંદિરમાં ઊભા રહીએ છીએ, ત્યારે અમે આકાશમાં ઊભા હોવા જેવાં ગણી લીધા જઈએ છીએ. હે દેવમાતા, તું સ્વર્ગનો દ્વાર છે; અમને દયાનો દ્વાર ખોલ.

Κύριε ἐλέησον કીરિયેલેસોન (હે પ્રભુ, દયા કર) 41 વખત

પવિત્ર, પવિત્ર, પવિત્ર

પવિત્ર, પવિત્ર, પવિત્ર, સૈનિકદળોના પ્રભુ. આકાશ અને ધરતી તારાં મહિમા અને માનથી ભરેલી છે. હે દેવ પિતા સર્વશક્તિમાન, અમ પર દયા કર. હે પવિત્ર ત્રિએકતા, અમ પર દયા કર. હે દળોના દેવ પ્રભુ, અમારો સાથ દેજો, કેમ કે અમારી મુશ્કેલીઓ અને ક્લેશોમાં આપણા પાસે તારા સિવાય સહાયક નથી.

હે દેવ, અમારી દુષ્ટતાઓને મુક્ત કર, માફ કર અને ક્ષમા કર, જે અમે ઇચ્છા સાથે કરી અને જે અનિચ્છાથી કરી, જે જાગૃતિ સાથે કરી અને અજાણતા કરી, ગૂઢ અને પ્રગટ. હે પ્રભુ, અમારા ઉપરથી તે બધું દૂર કર તારા પવિત્ર નામ માટે જે આપણા ઉપર બોલાવવામાં આવ્યું છે. હે પ્રભુ, તારી દયા પ્રમાણે, અમારા પાપો પ્રમાણે નહીં.

અને અમને યોગ્ય બનાવ કે અમે આભાર સાથે કહી શકીએ: હે અમારા પિતા, જે સ્વર્ગમાં છો...

બીજુ સેવારત (ખેડ્મત)

ભજન 118 (VIII)

જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.

જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.

તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.

તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.

તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!

જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.

જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.

હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.

જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.

મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.

મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.

હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.

મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.

તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.

હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.

તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.

તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.

તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.

હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.

મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.

તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.

મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.

સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.

તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.

મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.

મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.

તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું.

દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.

અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.

મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.

હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.

તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.

મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.

મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.

તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.

વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.

તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.

જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.

જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.

હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.

તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.

મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.

હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.

તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.

હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.

તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.

હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.

તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.

મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.

અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.

હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.

જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.

તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.

હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું.

આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.

હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.

મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.

મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.

તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.

મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.

તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.

જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.

હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.

હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.

મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.

દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.

તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.

ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.

તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.

મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.

સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.

તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.

તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.

હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.

તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.

હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.

અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.

જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.

તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે.

મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું.

તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.

કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.

તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?

જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.

તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.

તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.

તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.

તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.

જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.

હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.

હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.

દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.

મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.

તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.

મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.

મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.

વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.

હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.

તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.

મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!

તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.

હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.

હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.

હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.

મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.

દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.

મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.

તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.

હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.

તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.

દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.

તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.

તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.

જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.

તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.

હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.

મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.

તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.

તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.

તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.

હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.

હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.

હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.

તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.

તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.

હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.

જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.

તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.

જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.

તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.

તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.

હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.

ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.

મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે.

તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.

હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.

તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.

મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.

તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.

મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.

મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”

પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.

તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.

તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.

જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.

હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.

લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.

મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.

મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.

હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.

મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.

મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.

હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.

તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.

સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.

જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.

હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું.

તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.

તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.

હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.

હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.

હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.

હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.

મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો.

મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.

મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.

મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.

હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.

મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.

હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

ભજન 118 (IX)

મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.

હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.

હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?

તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.

મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.

જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.

હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

ભજન 118 (X)

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?

જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.

તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.

જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.

યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.

દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.

સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.

હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.

ભજન 118 (XI)

જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.

હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.

યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.

ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.

કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.

યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.

તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”

આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.

ભજન 118 (XII)

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.

જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.

અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.

બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.

ભજન 118 (XIII)

હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”

જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,

તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.

પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.

તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”

યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.

આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

ભજન 118 (XIV)

જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.

જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે યહોવાહ પોતાના લોકોની આસપાસ છે.

દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.

હે યહોવાહ, જેઓ સારા છે અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો.

પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ પર શાંતિ થાઓ.

ભજન 118 (XV)

જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.

ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”

યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ!

નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો.

જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.

જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.

ભજન 118 (XVI)

જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.

તમારું વહેલું ઊઠવું, અને મોડું સૂવું, અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે, કેમ કે યહોવાહ પોતાના વહાલાઓને ઊંઘમાં આપે છે.

જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.

યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.

ભજન 118 (XVII)

જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.

તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.

તારી પત્ની તારા ઘરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે; તારાં સંતાનો તારી મેજની આસપાસ જૈતૂનવૃક્ષના રોપા જેવાં થશે.

હા, નિશ્ચે, જે યહોવાહને માન આપે છે તે આશીર્વાદિત થશે.

યહોવાહ તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તારા જીવનના સર્વ દિવસો પર્યંત તું યરુશાલેમનું ભલું જોશે.

તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ.

ભજન ૧૨૭

ધન્ય છે બધા, જે પ્રભુનો ભય રાખે છે, તેની માર્ગોમાં ચાલે છે. તું તારા પરિશ્રમનાં ફળ ખાશે; તું ધન્ય થશે અને તારા માટે સારો થશે. તારી પત્ની તારાં ઘરના પક્ષમાં ફળદાયી દ્રાક્ષાવેલ જેવા થશે; તારાં બાળકો તારી મેજની આસપાસ ઓલિવના જવાથી છોડ જેવા થશે. જુઓ, આ પ્રમાણે તે મનુષ્ય ધન્ય થશે જે પ્રભુનો ભય રાખે છે. પ્રભુ તને સિયોનમાંથી આશીર્વાદ આપે; અને તું યેરુશાલેમની સુખાકારી તારા જીવનના બધા દિવસો જોશે; અને તું તારાં બાળકોનાં બાળકોને જોશે; અને ઇઝરાયલ પર શાંતિ રહે. હલ્લેલૂયા.

ભજન ૧૨૮

ઘણ્યો વખતથી તેમને મારી સાથે લડ્યા છે મારા યુવાનપણથી—ઇઝરાયલે એમ કહો—ઘણ્યો વખતથી તેમણે મારા યુવનથી મારી સાથે યુદ્ધ કર્યું છે; અને તેમણે મારા પર હાવી ન થઈ શક્યા. પાપીઓએ મારા પીઠ પર હાંકા મારી, અને પોતાનું અપરાધ લાંબું કરીને લંબાવ્યું. પ્રભુ ધર્મી છે; તે પાપીઓનાં બાંધણાઓ કાપે છે. તેઓ શરમાઈ જાય અને પાછળ વળે બધા, જે સિયોનને દ્વેષ કરે છે. તેઓ મંડપણ ની છત પરનાં ઘાસ જેવા હોય, જે કાપવામાં પહેલાં સુકાઈ જાય; જેના વડે કાપનાર પોતાનો હાથ નહીં ભરે, અને પૂળીઓ ભેગી કરનાર પોતાનું કાંખ નહીં ભરે. અને પસાર થનારા કહેશે નહિ, ‘પ્રભુનો આશીર્વાદ તમારે ઉપર રહે; અમે તમને પ્રભુના નામે આશીર્વાદ આપીએ છીએ.’ હલ્લેલૂયા.

(લુક 7:36-50) પછી ફરીસીમાંથી કોઈએ તેને એની સાથે ભોજન કરવા માંગ્યું; અને તે ફરીસીના ઘરમાં પ્રવેશી ને જમવા બેઠા. અને શહેરમાં એક સ્ત્રી હતી—પાપિની. તેણે જાણ્યું કે તે ફરીસીના ઘરમાં જમવા બેઠા છે; તે સુગંધિત તેલની કોથળી લઈને આવી; અને તેની પાછળ, તેના પગ પાસે ઊભી રહી, રડી રહી હતી; તેણે પોતાના આંસુઓથી તેના પગ ભીંજવ્યા, અને પોતાના માથાના વાળથી તેમને પડીંસ્યા; અને સતત તેના પગોને ચુંબન કરતી હતી, અને તેમને તેલથી અભિષેક કરતી હતી. જ્યારે તેને આમ આમંત્રિત કરનાર ફરીસીએ જોયું, તો પોતાના મનમાં કહ્યું, ‘જો આ ભવિષ્યવક્તા હોત, તો તેને ખબર હોત કે આ સ્ત્રી કોણ છે, જે તેને સ્પર્શી રહી છે, અને તેની કેફિયત શું છે—કે તે પાપિની છે.’ યેશુએ તેનો જવાબ આપતા કહ્યું, ‘હે શિમઓન, મારા પાસે તને કહેવું છે.’ તેણે કહ્યું, ‘કહો, ગુરુ.’ તેણે કહ્યું, ‘બે કરજદાર હતા એક ધારાણાદારને—એક પર પાંચસો દિનાર કરજ, અને બીજા પર પચાસ; અને તેઓ પાસે ચૂકવી શકવા જેટલું ન હતું, તેથી તેણે એમ બંનેને માફ કરી નાખ્યા. તો તેમામાં કોને તે વધારે પ્રેમ કરશે?’ શિમઓને જવાબ આપ્યો, ‘મને લાગે છે જેનું વધારે કરજ માફ થયું તે.’ તેણે કહ્યું, ‘તું યોગ્ય નિર્ણય આપ્યો.’ પછી તે સ્ત્રી તરફ વળી ને શિમઓનને કહ્યું, ‘શું તું આ સ્ત્રીને જુએ છે? હું તારાં ઘરમાં પ્રવેશ્યો; તું મને પગ ધોવા પાણી આપ્યા નહિ; પણ આને મારા પગને પોતાના આંસુઓથી ધોઈને પોતાના વાળથી પડીંસ્યા છે. તું મને ચુંબન આપ્યો નહિ; բայց આ, જ્યારે થી હું તારા ઘરમાં પ્રવેશ્યો, મારા પગને ચુંબન કરવાનું ન છોડ્યું. તું મારા માથા પર તેલનો અભિષેક કર્યો નહિ; પણ આ એને મારા પગોને સુગંધથી અભિષેક કર્યું. આથી હું તને કહું છું—એના ઘણાં પાપોને માફ કરવામાં આવ્યા છે, કેમ કે તેણે ખૂબ પ્રેમ કર્યો; પરંતુ જેને થોડું માફ થાય છે તે થોડું પ્રેમ કરે છે.’ પછી તેણે એને કહ્યું, ‘તારા પાપ માફ કરવામાં આવ્યા છે.’ અને જે જમણમાં હતા તેઓ પોતાના મનમાં કહેનાં લાગ્યા, ‘આ બીજો કોણ છે કે પાપોને માફ કરે છે!’ તેણે આસ્ત્રીને કહ્યું, ‘તારો વિશ્વાસ તને ઉદ્ધાર કર્યો છે; શાંતિથી જા.’ (અને મહિમા દેવને સદાકાળ હોય.)

વિભાગ

હે પ્રભુ, મને ઘણાં આંસુઓનાં સ્ત્રોતો આપ, જેમ તું પહેલાં પાપિની સ્ત્રીને આપ્યા; અને મને લાયક બનાવ કે હું તારા પગોને ભીંજવાં, જેમણે મને ભટકતી માર્ગમાંથી મુક્ત કર્યા; અને હું તને ઉત્તમ સુગંધ અર્પણ કરું, અને પસ્તાવાથી નિર્મળ જીવન ધારણ કરું; જેથી હું તે આનંદથી ભરેલો અવાજ સાંભળું, ‘તારો વિશ્વાસ તને ઉદ્ધાર કર્યો છે.’ (ذوكصابتري كيه إيو كي آجيو ابنيفماتي Δόξα Πατρί καὶ Υἱῷ καὶ Ἁγίῳ Πνεύματι - પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને મહિમા હોય).

જ્યારે હું મારા દુષ્ટ કાર્યોની બહુતાને ધ્યાનમાં લેું છું, અને તે ભયંકર ન્યાયનો વિચાર મારા હૃદય પર આવે છે, ત્યારે મને કંપારી પકડે છે; તેથી હું તારા તરફ દોડી જાઉં છું, હે દેવ, માનવીઓને પ્રેમ કરનાર; મનેથી તારો મુખ ન છુપાવ, હું તને વિનંતી કરું છું—હે જે એકલા નિષ્પાપ છે—અંત આવતાં પહેલાં મારી દયનીય આત્મા પર વિનયાની કૃપા કર, અને મને ઉદ્ધાર કર. (كي نين، كي آ إي، كي ايستوس إي أوناس تون إي أونون آمين Καὶ νῦν καὶ ἀεὶ καὶ εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων. Ἀμήν - હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન).

આકાશ તને ધન્ય કહે છે, હે અનુકંપાથી ભરપૂર, લગ્ન વગરની કન્યા; અને અમે પણ તારા અગમ્ય જન્મને મહિમા આપીએ છીએ; હે દેવમાતા, હે કરુણા અને ઉદ્ધારની માતા, અમારી આત્માઓના ઉદ્ધાર માટે મધ્યસ્થતા કર. (كي نين، كي آ إي، كي ايستوس إي أوناس تون إي أونون آمين Καὶ νῦν καὶ ἀεὶ καὶ εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων. Ἀμήν - હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન).

હે સ્વર્ગીય રાજા સાંત્વનકર્તા, સત્યનો આત્મા, જે દરેક સ્થાને હાજર છે અને બધું ભર્યા છે, ભલાઈઓનો ખજાનો અને જીવનદાતા, આવો અને અમમાં નિવાસ કરો, અને હે સારા, અમને દરેક અશુદ્ધિથી શુદ્ધ કરો, અને અમારી આત્માઓનો ઉદ્ધાર કર. (ذوكصابتري كيه إيو كي آجيو ابنيفماتي Δόξα Πατρί καὶ Υἱῷ καὶ Ἁγίῳ Πνεύματι - પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને મહિમા હોય).

હે ઉદ્ધારક, જેમ તું તારા શિષ્યો સાથે હતો અને તેમને શાંતિ આપી હતી, તેમ હવે પણ અમારો સાથ દે, અને અમને તારી શાંતિ બક્ષ, અને અમારો ઉદ્ધાર કર, અને અમારી આત્માઓને બચાવ. (كي نين، كي آ إي، كي ايستوس إي أوناس تون إي أونون آمين Καὶ νῦν καὶ ἀεὶ καὶ εἰς τοὺς αἰῶνας τῶν αἰώνων. Ἀμήν - હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી, આમેન).

જ્યારે અમે તારા પવિત્ર મંદિરમાં ઊભા રહીએ છીએ, ત્યારે અમે આકાશમાં ઊભા હોવા જેવાં ગણી લીધા જઈએ છીએ. હે દેવમાતા, તું સ્વર્ગનો દ્વાર છે; અમને દયાનો દ્વાર ખોલ.

Κύριε ἐλέησον કીરિયેલેસોન (હે પ્રભુ, દયા કર) 41 વખત

ત્રિસાગિયન

પવિત્ર દેવ, પવિત્ર પરાક્રમી, પવિત્ર અમર, જે કુંવારીમાંથી જન્મેલા, અમ પર દયા કર. પવિત્ર દેવ, પવિત્ર પરાક્રમી, પવિત્ર અમર, જે અમારી خاطر ક્રોસિત થયેલા, અમ પર દયા કર. પવિત્ર દેવ, પવિત્ર પરાક્રમી, પવિત્ર અમર, જે મૃતકોમાંથી ઊભા થયા અને સ્વર્ગમાં આરોહણ કર્યા, અમ પર દયા કર. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને મહિમા હોય, હવે અને સર્વકાળ અને યુગોના યુગો સુધી. આમેન. હે પવિત્ર ત્રિએકતા, અમ પર દયા કર. હે પવિત્ર ત્રિએકતા, અમ પર દયા કર. હે પવિત્ર ત્રિએકતા, અમ પર દયા કર.

હે પ્રભુ, અમારા પાપોને માફ કર. હે પ્રભુ, અમારા અપરાધોને માફ કર. હે પ્રભુ, અમારી ભૂલોને માફ કર. હે પ્રભુ, તારાં લોકનાં રોગીઓને મુલાકાત લે; તેમને તારા પવિત્ર નામ માટે આરોગ. અમારા પિતાઓ અને ભાઈઓ જે નિધન પામ્યા, હે પ્રભુ, તેમની આત્માઓને શાંતિ આપ. હે જે પાપરહિત છો, હે પ્રભુ, અમ પર દયા કર. હે પાપરહિત, હે પ્રભુ, અમને સહાય કર, અને અમારી વિનંતિઓને તારાં સમક્ષ સ્વીકાર. કેમ કે તને મહિમા, શક્તિ અને ત્રિસ્થાઇ પવિત્રીકરણ છે. હે પ્રભુ, દયા કર. હે પ્રભુ, દયા કર. હે પ્રભુ, આશીર્વાદ આપ. આમેન.

અને અમને યોગ્ય બનાવ કે અમે આભાર સાથે કહી શકીએ: હે અમારા પિતા, જે સ્વર્ગમાં છો....

Tenoo oasht emmok o piekhristos nem pekyot en aghathos nem pi epnevma ethowab je akee ak soati emmon nai nan

ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”

“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.

મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.

યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”

સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,

જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.

તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”

પછી ઉપાસક પ્રાર્થના કરે છે:

હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.

હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.

હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.

હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.

સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.

તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.

પવિત્ર, પવિત્ર, પવિત્ર

હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.

તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.

હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.

દરેક ઘડીનું સમાપન

હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.

તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.

તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,

ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.

વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”

જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.

ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.

હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.

તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.

તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.

યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.

જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”

હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.

આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.

હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.

હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.

ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.

તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.

બીજો પ્રહર

ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!

તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.

ભજન 119

જેના માર્ગો સીધા છે, જેઓ યહોવાહના નિયમો પ્રમાણે ચાલે છે, તેઓ આશીર્વાદિત છે.

જેઓ તેમનાં સાક્ષ્ય પાળે છે તેઓ આશીર્વાદિત છે, તેઓ પૂર્ણ હૃદયથી તેમને શોધે છે.

તેઓ અન્યાય કરતા નથી; તેઓ તેમના માર્ગમાં ચાલે છે.

તમારાં શાસનો પાળવાની તમે અમને આજ્ઞા આપી છે કે જેથી અમે તેનું ખૂબ કાળજીપૂર્વક પાલન કરીએ.

તમારા વિધિઓ પાળવાને માટે મારા વિચારો દ્રઢ થાય તો કેવું સારું!

જ્યારે હું તમારી બધી આજ્ઞાઓનો વિચાર કરું, ત્યારે હું શરમિંદો નહિ થાઉં.

જ્યારે હું તમારા ન્યાયી સાક્ષ્યો શીખીશ ત્યારે હું મારા શુદ્ધ અંતઃકરણથી તમારો આભાર માનીશ.

હું તમારા વિધિઓને અનુસરીશ; મારો ત્યાગ ન કરો.

જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનો પાળવાથી.

મેં મારા ખરા હૃદયથી તમને શોધ્યા છે; તમારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દો.

મેં તમારાં વચન કાળજીપૂર્વક મારા હૃદયમાં રાખી મૂક્યાં છે કે જેથી તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.

હે યહોવાહ, તમે સ્તુતિપાત્ર છો; કૃપા કરીને મને તમારાં શાસનો શીખવો.

મારા હોઠોથી હું તમારા બધા નિયમો વિષે વાત કરીશ.

તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ સંપત્તિ કરતાં વધારે આનંદ મળ્યો છે.

હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ.

તમારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ.

તમારા સેવક ઉપર કૃપા કરો કે હું જીવું અને તમારાં વચનો પાળું.

તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.

હું તો પૃથ્વી પર વિદેશી છું; તમારી આજ્ઞાઓ મારાથી ન સંતાડો.

મારું હૃદય તમારાં ન્યાયવચનો માટે સર્વ સમયે તીવ્ર ઝંખના કરે છે.

તમે ગર્વિષ્ઠ લોકોને તેમ જ જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી, તેઓને શ્રાપ આપો છો.

મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો, કારણ કે મેં તમારા નિયમો માન્યા છે.

સરદારો પણ આસનો પર બેસીને મારી વિરુદ્ધ બોલતા હતા, પણ તમારા સેવકે તમારા વિધિઓનું મનન કર્યું છે.

તમારાં સાક્ષ્યોથી મને આનંદ થાય છે અને તેઓ મારા સલાહકારો છે.

મારો આત્મા ધૂળ ભેગો થઈ ગયો છે; તમારા વચન પ્રમાણે મને જિવાડો.

મેં મારા માર્ગો તમને પ્રગટ કર્યા અને તમે મને ઉત્તર આપ્યો; મને તમારા વિધિઓ શીખવો.

તમારી સૂચનાઓના માર્ગો સમજવા મારી મદદ કરો, જેથી હું તમારા અદ્દભુત શિક્ષણ વિશે ચર્ચા કરી શકું.

દુઃખને કારણે મારું હૃદય ભારે થઈ ગયું છે; તમારાં વચન પ્રમાણે મને બળવાન કરો.

અસત્યનો માર્ગ મારાથી દૂર કરો; કૃપા કરીને મને તમારા નિયમો શીખવો.

મેં વિશ્વાસુપણાનો માર્ગ પસંદ કર્યો છે; મેં હંમેશા તમારાં ન્યાયવચનો મારી નજરમાં રાખ્યાં છે.

હું તમારાં સાક્ષ્યોને વળગી રહ્યો છું; હે યહોવાહ, મારે લજ્જિત થવું ન પડે.

તમારી આજ્ઞાઓના માર્ગમાં હું દોડીશ, કેમ કે તમે મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.

હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ.

મને સમજણશક્તિ આપો એટલે હું તમારો નિયમ પાળીશ; હું મારા હૃદયથી તેનું અનુકરણ કરીશ.

મને તમારી આજ્ઞાઓના માર્ગમાં દોરો, કારણ કે હું તેમાં આનંદ માનું છું.

તમારા કરાર પર ધ્યાન આપવા માટે મારા હૃદયને દોરો અને લોભ તરફથી મને વારો.

વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; તમારા માર્ગ વિષે મને આતુર કરો.

તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તમારા સેવકના લાભમાં દ્રઢ કરો.

જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણ કે તમારાં ન્યાયવચનો ઉત્તમ છે.

જુઓ, તમારા નિયમોને આધીન થવા માટે હું ઝંખુ છું; મારા ન્યાયીપણામાં તમે મારા જીવનને સંભાળી રાખો.

હે યહોવાહ, તમારો અવિકારી પ્રેમ, તમારા વચન પ્રમાણે, તમારો ઉદ્ધાર મને આપો.

તેથી હું મારું અપમાન કરનારને જવાબ આપી શકું, કેમ કે હું તમારાં વચનનો ભરોસો કરું છું.

મારા મુખમાંથી સત્ય વચનો કદી ન લઈ લો, કેમ કે હું તમારાં ન્યાયવચનોની આશા રાખી રહ્યો છું.

હું સદા સર્વદા તમારા નિયમોનું અવલોકન કરીશ.

તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી હું નિરાંતે જીવીશ.

હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ અને તેમાં શરમાઈશ નહિ.

તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ, તેઓ પર મેં પ્રેમ કર્યો છે.

હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, તેમના પર મેં પ્રેમ કર્યો છે; હું તમારા વિધિઓનું મનન કરીશ.

તમારા જે વચનથી મને આશા ઊપજી છે, તે વચન તમારા સેવકને માટે સંભારો.

મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે: તમારા વચને મને જિવાડ્યો છે.

અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો વળ્યો નથી.

હે યહોવાહ, પુરાતન કાળથી તમારાં જે ન્યાયવચનો છે તેમને મેં સંભાર્યાં છે અને મને દિલાસો મળ્યો છે.

જે દુષ્ટો તમારા નિયમોની અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઊપજે છે.

તમારા વિધિઓ મારાં ગીતો છે તેઓ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.

હે યહોવાહ, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે અને હું તમારા નિયમો પાળું છું.

આ મારું આચરણ છે કેમ કે મેં તમારાં સાક્ષ્યોનું અનુસરણ કર્યું છે.

હે યહોવાહ તમે મારો વારસો છો; હું તમારાં વચનો પાળીશ એમ મેં કહ્યું છે.

મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માગણી કરી છે; તમારા વચન પ્રમાણે, તમે મારા ઉપર દયા કરો.

મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.

તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; વાર લગાડી નથી.

મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; તમારા નિયમોને હું ભૂલી ગયો નથી.

તમારાં ન્યાયીવચનોને લીધે હું તમારો આભાર માનવા મધ્ય રાત્રે ઊઠીશ.

જે કોઈ તમને માન આપે છે અને જેઓ તમારી સૂચનાઓને અનુસરે છે, તેઓનો હું સાથી છું.

હે યહોવાહ, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે; મને તમારા વિધિઓ શીખવો.

હે યહોવાહ, વચન પ્રમાણે, તમે તમારા સેવકને માટે સારું જ કર્યું છે.

મને સારો વિવેક તથા ડહાપણ શીખવો, કેમ કે હું તમારી આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.

દુઃખી થયા અગાઉ હું આડે રસ્તે ગયો હતો, પણ હવે હું તમારાં વચન પાળું છું.

તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.

ઘમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારા નિયમો મારા ખરા હૃદયથી પાળીશ.

તેઓના હૃદયો જડ છે, પણ હું તો તમારા નિયમમાં આનંદ પામું છું.

મેં જે સહન કર્યું છે તે મને ગુણકારક થઈ પડ્યું છે કે જેથી હું તમારા વિધિઓ શીખી શકું.

સોનાચાંદીના હજારો સિક્કા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.

તમે તમારા હાથોથી જ મને ઘડ્યો છે તથા બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજણ આપો.

તમારો ભય રાખનારા મને જોઈને આનંદ પામશે કારણ કે મેં તમારાં વચનોની આશા રાખી છે.

હે યહોવાહ, હું જાણું છું કે, તમારાં વચનો ન્યાયી છે અને વિશ્વાસુપણાએ તમે મને શિસ્તબદ્ધ કર્યો છે.

તમારા સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારી કૃપાથી મને દિલાસો મળો.

હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.

અભિમાનીઓ લજ્જા પામો, કેમ કે તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે; પણ હું તો તમારાં વચનોનું મનન કરું છું.

જેઓ તમને માન આપે છે અને જેઓને તમારાં સાક્ષ્યો વિષે ડહાપણ છે, તેઓ મારી પાસે આવો.

તમારા નિયમોની આધીનતામાં મારું હૃદય નિર્દોષ રહો કે જેથી મારે બદનામ ન થવું પડે.

મારો જીવ તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે મૂંઝાય છે; હું તમારાં વચનની આશા રાખું છું.

તમે મને ક્યારે દિલાસો આપશો? એમ કહેતાં મારી આંખો તમારાં વચનને માટે નિસ્તેજ થઈ જાય છે.

કેમ કે હું ધુમાડામાં રહેલી મશકના જેવો થઈ ગયો છું; હું તમારા વિધિઓને વીસરતો નથી.

તમારા સેવકના દિવસ કેટલા છે? મને સતાવનારાઓનો ન્યાય તમે ક્યારે કરશો?

જે ગર્વિષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા, તેઓએ મારા માટે ખાડા ખોદ્યા છે.

તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

પૃથ્વી પરથી તેઓએ લગભગ મારો નાશ કર્યો હતો, પણ મેં તમારાં શાસનોનો ત્યાગ કર્યો નથી.

તમારી કૃપા પ્રમાણે તમે મને જિવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.

હે યહોવાહ, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.

તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ પૃથ્વી સ્થાપી છે અને તે નીભી રહે છે.

તમારાં ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજ સુધી નીભી રહી છે; કેમ કે તે સર્વ તમારા સેવકો છે.

જો તમારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત, તો હું મારા દુઃખમાં જ નાશ પામ્યો હોત.

હું કદી તમારાં શાસનોને ભૂલીશ નહિ, કારણ કે તમે મને તેઓથી જ જિવાડ્યો છે.

હું તમારો છું; મારું રક્ષણ કરો, કારણ કે મેં તમારાં શાસનોને શોધ્યાં છે.

દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.

મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.

તમારા નિયમો પર હું કેટલો બધો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.

મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણ કે તમારી આજ્ઞાઓ મારી પાસે સર્વદા છે.

મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.

વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.

હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.

તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.

મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!

તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.

હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.

હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.

હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.

મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.

દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.

મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.

તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.

હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.

તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.

દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.

તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.

તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિ નિયમોનું મનન કરીશ.

જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.

તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.

હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.

મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.

તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.

તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.

તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.

હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.

હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.

હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.

તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

તમારા નિયમો અદ્દભુત છે; તેથી હું તેમને પાળું છું.

તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે; તે ભોળા માણસ પણ સમજી શકે છે.

હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો.

જેમ તમે તમારા નામ પર પ્રેમ રાખનારાઓની સાથે વર્તો છો, તેમ તમે મારા તરફ ફરીને મારા પર દયા કરો.

તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો.

જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું.

તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારા બધા નિયમો મને શીખવો.

તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે.

હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે.

ન્યાયીપણાથી તથા પૂરેપૂરા વિશ્વાસુપણાથી તમે તમારાં સાક્ષ્યો ફરમાવ્યાં છે.

મારા શત્રુઓ તમારાં વચન વીસરી ગયા છે તેથી મારા રોષે મને ક્ષીણ કર્યો છે.

તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે.

હું નાનો તથા ધિક્કારાયેલો છું, તોપણ હું તમારાં શાસનોને ભૂલી જતો નથી.

તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે.

મને ઉપાધિઓએ તથા આપત્તિઓએ જકડી લીધો છે, તમારી આજ્ઞાઓ મારો આનંદ છે.

તમારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; માટે મને સમજણ આપો, જેથી હું જીવતો રહીશ.

મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.

મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”

પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.

તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.

તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.

જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.

હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.

લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.

મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.

મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.

દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.

હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.

મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.

મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.

હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.

તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.

સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.

જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.

હું અસત્યને ધિક્કારું છું અને તેનાથી કંટાળું છું, પણ હું તમારા નિયમને ચાહું છું.

તમારાં યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમાં સાતવાર તમારી સ્તુતિ કરું છું.

તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઈ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.

હે યહોવાહ, તમારા ઉદ્ધારની મેં આશા રાખી છે અને મેં તમારી આજ્ઞાઓ પાળી છે.

હું તમારાં સાક્ષ્યોને અનુસર્યો અને હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.

હું તમારાં બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, કેમ કે હું જે કરું તે બધું તમે જાણો છો.

હે યહોવાહ, મને સહાય કરવાને મારી પ્રાર્થનાઓ સાંભળો; તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.

મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; તમારા વચન પ્રમાણે મને સહાય કરો.

મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.

મારી જીભ તમારા વચન વિષે ગાયન કરો, કારણ કે તમારી સર્વ આજ્ઞાઓ ન્યાયી છે.

મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ, કારણ કે મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યું છે.

હે યહોવાહ, હું તમારા તરફથી મળતા ઉદ્ધારને માટે અભિલાષી છું અને તમારો નિયમ એ જ મારો આનંદ છે.

મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.

હું ભૂલા પડેલા ઘેટાંની જેમ ભટકી ગયો છું; તમારા સેવકને શોધી કાઢો, કારણ કે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.

ભજન 120

મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.

હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.

હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?

તને યોદ્ધાઓ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.

મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.

જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.

હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.

ભજન 121

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ. મને ક્યાંથી સહાય મળે?

જે યહોવાહે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.

તે તારા પગને ડગવા દેશે નહિ; જે તારું રક્ષણ કરે છે તે ઊંઘશે નહિ.

જુઓ, ઇઝરાયલના જે રક્ષક છે તે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી.

યહોવાહ તારા રક્ષક છે; યહોવાહ તારા જમણે હાથે તને છાયા કરશે.

દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને નુકસાન પહોંચાડશે નહિ.

સર્વ દુઃખથી યહોવાહ તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે.

હમણાંથી તે સર્વકાળ માટે તારા સર્વ કાર્યોમાં યહોવાહ તારું રક્ષણ કરશે.

ભજન 122

જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.

હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.

યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.

ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે.

કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે.

યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.

તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.

મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”

આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ.

ભજન 123

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર, હું તમારા તરફ મારી આંખો ઊંચી કરું છું.

જુઓ, જેમ સેવકની આંખો પોતાના માલિકના હાથ તરફ, જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ તાકેલી રહે છે, તેમ અમારા ઈશ્વર યહોવાહની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.

અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ.

બેદરકાર માણસોના તુચ્છકાર તથા ગર્વિષ્ઠોના અપમાનથી અમારો આત્મા તદ્દન કાયર થઈ ગયો છે.

ભજન 124

હવે ઇઝરાયલ એમ કહો, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,”

જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, “જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,

તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.

પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.

તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત.”

યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.

આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.

ભજન 125

યહોવાહની સ્તુતિ કરો, કેમ કે આપણા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાવાં એ સારું તથા મનોરંજક છે, સ્તુતિ કરવી એ ઘટતું છે.

યહોવાહ યરુશાલેમને ફરી બાંધે છે; તે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલા લોકોને પાછા એકઠાં કરે છે.

હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે.

તે તારાઓની ગણતરી કરે છે; તે તેઓને નામ આપીને બોલાવે છે.

આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે; તેમના ડહાપણની કોઈ સીમા નથી.

યહોવાહ નમ્રજનોને ઊંચાં કરે છે; તે દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે.

યહોવાહનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાઓ.

તે આકાશને વાદળોથી ઢાંકે છે અને પૃથ્વીને માટે તે વરસાદ તૈયાર કરી રાખે છે, તે પહાડો પર ઘાસ ઉગાડે છે.

પશુઓને તેમ જ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે ખોરાક આપે છે.

તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી.

જેઓ તેમનો ભય રાખે છે અને તેમની કૃપાની આશા રાખે છે, તેમના પર યહોવાહ ખુશ રહે છે.

હે યરુશાલેમ, યહોવાહની સ્તુતિ કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.

કારણ કે તેમણે તારાં દ્વારોની ભૂંગળો મજબૂત કરી છે; તેમણે તારામાં તારાં સંતાનોને આશીર્વાદિત કર્યાં છે.

તે તારી સરહદમાં શાંતિ સ્થાપે છે; સારા ઘઉંથી તે તારા કોઠારોને ભરપૂર કરે છે.

તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમની આજ્ઞા બહુ ઝડપથી દોડે છે.

તે ઊનના જેવો બરફ મોકલે છે; તે હવામાંથી રાખ જેવા કરાની વૃષ્ટિ કરે છે.

રોટલીના કટકા જેવા કરા વરસાવે છે; તેની ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?

તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.

તેમણે યાકૂબને તેમનાં વચનો પ્રગટ કર્યાં, તેમણે તેમના વિધિઓ અને નિયમો ઇઝરાયલને પણ પ્રગટ કર્યા.

અન્ય કોઈ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યું નથી; તેઓએ તેમનાં ન્યાયવચનો જાણ્યાં નથી. યહોવાહની સ્તુતિ થાઓ.

(10) ભજન ૧૨૫

મારી આત્મા, પ્રભુની સ્તુતિ કર; હું મારા જીવન દરમ્યાન પ્રભુની સ્તુતિ કરીશ; હું ત્યાં સુધી મારા દેવને ભજન ગાઈશ જ્યાં સુધી હું રહું. સરદારાઓ પર, માનવના પુત્રો પર, જેમામાં ઉદ્ધાર નથી, વિશ્વાસ ન મૂકશો. તેમની શ્વાસ બહાર નીકળે છે, અને તેઓ તેમના ધૂળમાં પાછા ફરી જાય છે; એ જ દિવસે તેમના બધા વિચાર નાશ પામે છે.

ધન્ય છે તે, જેણે યાકૂબના દેવને સહાયકાર રૂપે રાખ્યો છે—જે પ્રભુ તેના દેવ પર આશા રાખે છે—જેણે સ્વર્ગ અને ધરતી, સમુદ્ર અને જે તેનામાં છે તે બધું બનાવ્યું; જે ન્યાયને સદાકાળ સુધી રાખે છે; જે પીડિતોનું ન્યાય કરે છે; જે ભૂખ્યાંને ભોજન આપે છે; પ્રભુ બંધાયેલોને મુક્ત કરે છે; પ્રભુ વાંકડા થતાંને ઊભા કરે છે; પ્રભુ અંધોને સમજ આપે છે; પ્રભુ ધર્મીઓને પ્રેમ કરે છે; પ્રભુ વારવિહોણા અને વીધવા ને ટેકો આપે છે; અને પાપીઓનાં માર્ગોને નાશ કરે છે. પ્રભુ સદાકાળ સુધી રાજ કરે છે; હે સિયોન, તારો દેવ પેઢીથી પેઢી સુધી—હલ્લેલૂયા.

(11) ભજન ૧૨૬

પ્રભુની સ્તુતિ કરો, કેમ કે ભજન ગાવું સારું છે; અને અમારા દેવ માટે સ્તુતિ સુમેળભરી છે. પ્રભુ યેરુશાલેમનું નિર્માણ કરે છે; પ્રભુ ઇઝરાયલના વિખુરાયેલા લોકોને ભેગા કરે છે; પ્રભુ દિલભંજાયેલા લોકોને આરોગ કરે છે, અને તેમના બધા ઘાવોને બાંધે છે; જે તારાઓની સંખ્યા ગણે છે, અને સાડા બધાને નામ આપે છે. પ્રભુ મહાન છે, અને મોટી ભગવાનતા ધરાવે છે; અને તેની સમજણ અપરિમિત છે. પ્રભુ વિનમ્રોને ઊચો કરે છે; અને પાપીઓને ધરતી સુધી નમાવેછે.

પ્રભુને સ્વીકારથી શરૂઆત કરો; અમારા દેવને કિથારાથી ભજન ગાવો; જે આકાશને વાદળોથી ઢાંકે છે; જે ધરતી માટે વરસાદ તૈયાર કરે છે; જે પહાડો ઉપર ઘાસ ઊગાડે છે, અને મનુષ્યોની સેવા માટે લીલોતરી આપે છે; અને પશુઓને તેમની ખોરાક આપે છે, અને કાગડાનાં બચ્ચાંઓને કે જે તેને પોકારે છે. તે ઘોડાની શક્તિમાં આનંદ કરતો નથી; ન તો માણસના પગોમાં પ્રસન્ન થાય છે; પરંતુ પ્રભુ તેમનું આનંદ કરે છે, જે તેને ડરે છે અને તેની કરુણામાં આશા રાખે છે—હલ્લેલૂયા.

(12) ભજન ૧૨૭

હે યેરુશાલેમ, પ્રભુની સ્તુતિ કર; હે સિયોન, તારા દેવને સ્તુતિ કર. કારણ કે તેણે તારાં દરવાજાનાં બારને મજબૂત કર્યા છે; અને તારા સંતાનોને તારા અંદર આશીર્વાદ આપ્યો છે. તેણે તારાં સીમાઓમાં શાંતિ મૂકી છે; અને તને ઘઉંની ચરબીથી પરિપૂર્ણ કરે છે. તે પોતાનું વચન ધરતી પર મોકલે છે; તેમનું વચન ખૂબ ત્વરિત દોડે છે. તે હિમને ઊન જેવો આપે છે; તે ધુમાડાને રાખ જેવો મૂકી દે છે; અને બરફને સ્ફટિક જેવો ફેંકે છે. તેની ઠંડીનાં પ્રકારે કોણ ઊભો રહી શકે? તે પોતાનું વચન મોકલે છે અને તેને ઓગાળે છે; પવન ફૂંકાવે છે અને પાણી વહે છે. તે યાકૂબને પોતાનું વચન બતાવે છે, ઇઝરાયલને પોતાના નિયમો અને ન્યાયો બતાવે છે. તેણે હ્માફક બધાં જાતિઓ સાથે એવું કર્યું નથી; અને તેમણે તેના ન્યાયોને નથી ઓળખ્યાં—હલ્લેલૂયા.

(લુક 12:32-46) «ઊંઘી ન જાઓ, હે નાની ઝુંડ, કેમ કે તમારાં પિતાએ તમને રાજ્ય આપવાની ઇચ્છા કરી છે. તમારાં માલ વેચો અને દાન આપો; તમારા માટે એવું થેલું બનાવો કે જે જૂનું ન થાય; અને સ્વર્ગમાં એવું ખજાનો કે જે કદી ન સમાપ્ત થાય—જ્યાં ચોર પહોંચતો નથી, અને ન તો કીડો તેને બગાડે છે; કેમ કે જ્યાં તમારું ખજાનો છે, ત્યાં તમારું હૃદય પણ રહેશે. તમારાં કમરની બાંધછોડ કસી રાખો, અને તમારાં દીવા બળતા રહે; અને તમારે પણ આવા માણસો જેવાં થાવ, જે પોતાના સ્વામીની રાહ જુએ છે, જ્યારે તે લગ્નમાંથી પાછો આવે, જેથી જ્યારે તે આવે અને બારણું ખખડાવે, તેઓ તરત જ એ માટે ખોલે. ધન્ય છે તે સેવકો, જેમને તેમનો સ્વામી આવતાં જાગ્રત પામે. ખરા ખરા હું તમને કહું છું કે તે પોતે કમર કસી, તેમને બેઠા કરશે, અને આવીને તેમને સેવા કરશે. અને જો તે બીજા પહેરા માં આવે અથવા ત્રીજા પહેરા માં આવે, અને તેમને આવું કરતા પામે—તો તે સેવકો ધન્ય છે. પરંતુ આ જાણો: જો ઘરનો માલિક જાણતો કે કયા સમયમાં ચોર આવશે, તો તે જાગતો રહેતો, અને પોતાના ઘરને તોડી ન દેતો. તેથી તમે પણ તૈયાર રહો; કેમ કે જેમાં તમે વિચારતા નથી તેમાં મનુષ્યપુત્ર આવશે.»

પછી પિતરે તેને કહ્યું, «હે પ્રભુ, તમે આ કહેવત અમને માટે કીધી કે બધાં માટે?» અને પ્રભુએ કહ્યું, «તો કોણ છે તે વિશ્વાસુ અને સમજદાર તબલ્લા, જેને તેનો સ્વામી પોતાના ઘરના સેવકો ઉપર રાખશે, જેથી તે તેમને યોગ્ય સમયે તેમનું ખોરાક આપે? ધન્ય છે તે સેવક, જેને તેનો સ્વામી આવતાં આવું કરતા પામે. ખરેખર હું તમને કહું છું કે તે તેને પોતાના બધાં માલ ઉપર રાખશે. પરંતુ જો તે દુષ્ટ સેવક પોતાના હૃદયમાં કહે, ‘મારો સ્વામી આવવામાં મોડો છે,’ અને તેણે દાસો અને દાસીઓને મારવાનું શરૂ કર્યું, અને ખાવા-પીવા અને નશો કરવા માંડ્યો—તો તેનો સ્વામી એ જ દિવસે આવશે, જેમાં તે અપેક્ષા રાખતો નથી, અને એ જ ઘડીમાં, જેને તે જાણતો નથી; અને તે તેને વચ્ચે થી કાપી, અને વિશ્વાસહીન લોકો સાથે તેનો ભાગ નિર્ધારિત કરશે.» (અને મહિમા દેવને સદાકાળ હોય)

સંત લૂક મુજબ પવિત્ર સુસમાચાર (7:36–50)

¶ કોઈ એક ફરોશીએ ઈસુને પોતાની સાથે જમવા સારુ વિનંતી કરી. ઈસુ ફરોશીના ઘરમાં જઈને જમવા બેઠા.

જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જયારે જાણ્યું કે ફરોશીના ઘરમાં ઈસુ જમવા બેઠા છે, ત્યારે અત્તરની સંગેમરમરની ડબ્બી લાવીને,

તેમના પગ પાસે રડતી રડતી પાછળ ઊભી રહી, તથા પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા તથા પોતાના માથાના વાળથી લૂછવા લાગી, તેણે તેમના પગને ચૂમ્યાં, તેમને અત્તર લગાવ્યું.

¶ હવે તે જોઈને જે ફરોશીએ ઈસુને જમવા બોલાવ્યા હતા તે મનમાં એમ કહેવા લાગ્યો કે, ‘જો આ માણસ પ્રબોધક હોત, તો આ જે સ્ત્રી તેમને અડકે છે, તે સ્ત્રી કોણ છે અને કેવી છે તે તેઓ જાણત, એટલે કે તે તો પાપી છે.’”

આથી ઈસુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‹‘સિમોન, મારે તને કંઈ કહેવું છે.’› ત્યારે તેણે ઈસુને કહ્યું કે, ‘કહો ને, પ્રભુ.’”

¶ ‹ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.›

‹જયારે તેઓની પાસે ચૂકવવાનું કંઈ નહોતું, ત્યારે તેણે બન્નેનું દેવું માફ કર્યુ. તો તેઓમાંનો કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?’”›

સિમોને ઉત્તર આપતાં કહ્યું કે, ‘મને લાગે છે કે જેને તેણે સૌથી વધારે દેવું માફ કર્યુ તે.’ અને તેમણે કહ્યું, ‹‘તેં સાચો જવાબ આપ્યો.’”›

¶ પછી ઈસુએ પેલી સ્ત્રીની તરફ જોઈને સિમોનને કહ્યું કે, ‹‘આ સ્ત્રીને તું જુએ છે? હું તારે ઘરે આવ્યો ત્યારે મારા પગને ધોવા સારુ તેં મને પાણી આપ્યું નહિ; પણ આ સ્ત્રીએ મારા પગ આંસુએ પલાળીને તેમને પોતાના માથાના વાળથી લૂછ્યા છે.›

‹તેં મને ચુંબન કર્યુ નહિ; પણ હું અંદર આવ્યો ત્યારથી તે સ્ત્રી જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે.›

¶ ‹તેં મારે માથે તેલ લગાવ્યું નહિ; પણ તેણે મારા પગે અત્તર લગાવ્યું છે.›

‹એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’”›

¶ ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‹‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.’”›

ઈસુની સાથે જેઓ જમવા બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે, ‘આ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?’”

ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‹‘તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિએ જા.’”›

Tenoo oasht emmok o piekhristos nem pekyot en aghathos nem pi epnevma ethowab je akee ak soati emmon nai nan

હે ખ્રિસ્ત, અમે તમારો ઉપાસન કરીએ છીએ, તમારાં ભલા પિતા અને પવિત્ર આત્મા સાથે, કારણ કે તમે આવ્યા અને અમારો ઉદ્ધાર કર્યો.

1. હે પ્રભુ, મને આંસુઓના અનેક ઝરણાં આપો, જેમ તમે પૂર્વે પાપી સ્ત્રીને આપ્યાં હતા. મને યોગ્ય બનાવો કે હું તારા પગ ધોઈ શકું, જેણે મને ભટકવાના માર્ગમાંથી મુક્ત કર્યા; અને હું તને કિંમતી સુગંધિત તેલ અર્પણ કરું; અને પસ્તાવા દ્વારા શુદ્ધ જીવન પ્રાપ્ત કરું; જેથી હું તે આનંદભરી વાણી સાંભળી શકું: “તારા વિશ્વાસે તને બચાવ્યું છે.”

Doxa Patri ke Eioa ke Agio Pnevmati

પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા.

2. જ્યારે હું મારા અનેક દુષ્ટ કાર્યોને ધ્યાને લઉં છું, અને તે ભયંકર ન્યાયનો વિચાર મારા હૃદયમાં આવે છે, ત્યારે કંપારી મને ઝાલે છે; અને હું તારા શરણ લઈ લઉં છું, હે દેવ, માનવપ્રેમી. તો હું તને બિનપાપી એકમાત્ર તરીકે વિનંતી કરું છું, તું તારો ચેહરો મારેથી ન ફેરવી દે. અંત આવે તે પહેલાં મારી ગરીબ આત્માને નમ્રતા બક્ષ, અને મને બચાવ.

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

હવે અને સદાકાળ તથા યુગાનુયુગ સુધી, આમેન.

3. સ્વર્ગ તારી સ્તુતિ કરે છે, હે કૃપાથી પરિપૂર્ણ, ક્યારેય લગ્ન ન કરનાર વહુ. અને અમે પણ તારા અગમ્ય જન્મને મહિમા આપીએ છીએ. હે દેવમાતા (થેઓટોકોસ), દયા અને ઉદ્ધારની માતા, અમારી આત્માઓના ઉદ્ધાર માટે મધ્યસ્થતા કર.

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

હવે અને સદાકાળ તથા યુગાનુયુગ સુધી, આમેન.

4. હે સ્વર્ગીય રાજા, સાંત્વનકર્તા, સત્યનો આત્મા, જે સર્વત્ર હાજર છે અને દરેકમાં ભરપૂર છે; સારા દાનોનો ભંડાર અને જીવનદાતા, કૃપાપૂર્વક આવો, અમારમાં નિવાસ કરો અને દરેક અશુદ્ધિથી અમને શુદ્ધ કરો, હે ભલા, અને અમારી આત્માઓનો ઉદ્ધાર કરો.

Doxa Patri ke Eioa ke Agio Pnevmati

પિતા, પુત્ર અને પવિત્ર આત્માને મહિમા.

5. જેમ તું તારા શિષ્યો સાથે હતો, હે તારણહાર, અને તેમને શાંતિ આપી, તેમ કૃપાપૂર્વક અમારી સાથે પણ રહો, અમને તારી શાંતિ આપો, અમને બચાવો અને અમારી આત્માઓને છોડાવો.

Ke nin ke a ee ke ees toos e onas toan e oa noan ameen.

હવે અને સદાકાળ તથા યુગાનુયુગ સુધી, આમેન.

6. જ્યારે પણ અમે તારા પવિત્ર પવિત્રસ્થાનમાં ઊભા રહીએ છીએ, ત્યારે એમ માનવામાં આવે છે કે અમે સ્વર્ગમાં ઊભા છીએ. હે દેવમાતા (થેઓટોકોસ), તું સ્વર્ગનો દ્વાર છે; અમારી માટે કૃપાનો દ્વાર ખોલ.

પછી ઉપાસક પ્રાર્થના કરે છે:

પ્રભુ, અમને સાંભળો, આપણાં પર દયા કરો અને આપણાં પાપોને માફ કરો. આમેન.

(પ્રભુ, દયા કરો) 41 વાર

પવિત્ર પ્રાચીન અર્થોડોક્સ વિશ્વાસઘોષણા

વાસ્તવમાં અમે એક દેવ પર વિશ્વાસ કરીએ છીએ, દેવ પિતા, સર્વશક્તિમાન, સ્વર્ગ અને ધરતીના સર્જક, જે જોવામાં આવે છે અને જે નહિં જોવામાં આવે તે બધાના સર્જક.

અને અમારે એક પ્રભુ યેશુ ખ્રિસ્તમાં વિશ્વાસ છે, દેવનો એકમાત્ર પુત્ર, જે પિતાથી તમામ યુગોથી પહેલાં જન્મેલા, પ્રકાશમાંથી પ્રકાશ, સત્ય દેવમાંથી સત્ય દેવ, જન્માયેલા, [begotten_not_made] જન્માયેલો, રચાયેલો નથી, [of_one_essence] પિતાજી સાથે સ્વરૂપમાં સમાન, જેમના દ્વારા બધું બન્યું. જે અમારા મનુષ્યો માટે અને અમારા ઉદ્ધાર માટે સ્વર્ગમાંથી ઉતર્યા, અને પવિત્ર આત્મા અને કુંવારી મરિયમમાંથી દેહ ધારણ કર્યો, અને મનુષ્ય બન્યા. અને પોન્તિયસ પિલાતના સમયમાં અમારી خاطر ક્રોસ પર ચઢાવાયા; અને દુઃખ ભોગવ્યા અને સમાધિ પામ્યા; અને ત્રીજે દિવસે પવિત્ર શાસ્ત્ર મુજબ ઊભા થયા; અને સ્વર્ગમાં આરોહણ કર્યું; અને પિતાના જમણા હાથે બેઠા છે; અને તેઓ ફરી મહિમા સાથે જીવતા અને મૃતકોનું ન્યાય કરવા આવશે; જેમનું રાજ્ય કદી સમાપ્ત નહિ થાય.

અને હા, અમે પવિત્ર આત્મા પર વિશ્વાસ કરીએ છીએ, જીવનદાતા પ્રભુ પર, જે પિતામાંથી નીકળે છે; જેને પિતા અને પુત્ર સાથે નીચે નમન અને મહિમા આપવામાં આવે છે; જેણે ભવિષ્યવક્તાઓમાં બોલ્યા છે.

અને એક જ પવિત્ર સર્વત્ર પ્રેરિત ચર્ચ પર.

અને પાપોની માફી માટે એક જ બાપ્તિસ્માને અમે સ્વીકારીએ છીએ.

અને અમે મૃતકોના પુનરૂત્થાન અને આવનારા યુગના જીવનની અપેક્ષા રાખીએ છીએ. આમેન.

Κύριε ἐλέησον કીરિયેલેસોન (હે પ્રભુ, દયા કર) 41 વખત

ભજન 129

ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”

“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.

મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.

યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે.”

સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.

તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,

જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.

તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”

ભજન 131

હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી. મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.

તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે.

હે ઇઝરાયલ, આ સમયથી તે સદાકાળ માટે યહોવાહની જ આશા રાખજે.

ભજન 132

હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.

તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.

તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,

ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.

વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”

જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.

ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.

હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.

તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.

તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.

યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.

જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”

હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.

આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.

હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.

હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.

ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.

તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.

ભજન 133

ભાઈઓ એકતામાં રહે તે કેવું સારું તથા શોભાયમાન છે!

તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

વળી તે હેર્મોન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે. કારણ કે યહોવાહે આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન ફરમાવ્યું છે.